Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                                         

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી.

જ્ઞાનકુંજ પરિચય

જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાને વધારવા માટેનો શાળા ડિજિટાઇઝેશન પ્રોગ્રામ છે. તેનો હેતુ સૉફટવેર અને હાર્ડવેરને સમાવિષ્ટ ઇન્ટરેક્ટિવ સિસ્ટમની મદદથી સ્કૂલ ડિજિટાઇઝેશન દ્વારા શિક્ષણ-અધ્યયન અને મૂલ્યાંકનને મજબૂત બનાવવાનો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં અમલમાં મુકવામાં આવશે.

ઉદ્દેશ્ય

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં પ્રગતિ દ્વારા વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાને.

વપારવા માટે ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ, અધ્યયન અને મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવી.

માધ્યમ તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડમાં જ અભ્યાસક્રમના દરેક એકમને સમજવામાં સરળતા માટે.

આ મોડેલ હેઠળ વર્ગખંડમાં જરૂરી સુવિધાઓ:

મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પેકેજ શાળાની સ્થાનિક પરિસ્થિતિઓ અને વપરાશ સ્તર અને ઓપરેશનલ સંદર્ભને ધ્યાનમાં લઈને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ, શાળાના વર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ હશે.

ઇન્ટરેક્ટિવ પેનલ

લેપટોપ

ઇન્ટરેક્ટિવ પેનલ માટે જરૂરી વીજળીકરણ

ઉપરોક્ત સુવિધાઓના સંકલિત ઉપયોગ દ્વારા સરકારી શાળાખોમાં શિક્ષકો નીચેના કાર્યો કરી શકશે.

સૂચિત ઉકેલને એકીકૃત કરીને શિક્ષણ કાર્યને અરસપરસ બનાવવામાં આવે છે.

શિક્ષકો અભ્યાસક્રમની ઉન્નત ડિલિવરી માટે તમામ શિક્ષણશાસ્ત્રની યુક્તિઓ (કરો. વ્યાખ્યા ડેમો મૂલ્યાંકન) નો અમલ કરી શકશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ બેજ્યુકેશન (GCSE) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-સામગ્રીનો ઉપયોગ અને ઈ-ક્લાસ પ્રોજેકટ હેઠળ વિડિયો કન્ટેન્ટ ટેલિકાસ્ટ; શિક્ષકો-વિધાર્થીઓના આરામદાયક સ્તરે.

તમામ શૈક્ષણિક સામગ્રીઓ, ફ્રીવેર ઓપન સોર્સ સંસાધનો ઓનલાઈન સંસાધનો, શિક્ષકો દ્વારા બનાવેલ / તૈયાર કરેલ ઈ-કન્ટેન્ટ વગેરેના ઉપયોગનું અન્વેષણ કરવું.

ઈ-સામગ્રી, ઑડિઓ વિઝ્યુઅલ્સ, ડિજિટલ પાઠ્યપુસ્તકો દ્વારા શૈક્ષણિક વિતરણ જે ઑફલાઇન (સ્થાનિક હોસ્ટ), ઑનલાઇન (ક્લાઉડ આધારિત) તેમજ સ્થાનિક લેપટોપ પર ઍક્સેસ કરી શકાય.

ઉકેલ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ચાલતા જ્ઞાન સાથે અભ્યાસક્રમને શીખવા અને સમજવા માટે આકર્ષિત કરશે. આ સોલ્યુશન શિક્ષકોને પેનલ પર વિડિયો પ્રવચનો રેકોર્ડ કરીને બાળકોની જરૂરિયાત મુજબ.

ઓનલાઈન સંસાધનો તૈયાર કરીને સીમલેસ સોલ્યુશનનો ઉપયોગ કરવા માટે પણ આકર્ષિત કરશે. દરેક વ્યક્તિના શિક્ષણ સ્તરને હાંસલ કરવા માટે બાળકોની જરૂરિયાતને સંબોધવા માટે શૈક્ષણિક વિતરણ માટે નવીનતાઓ કરવા શિક્ષકોને પ્રેરણા આપવી. જેવી બાબતોનો સમાવેશ થાય છે.


આ શૈક્ષણિક તાલીમની  જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓર્ડીનેટર તુષારભાઈ પટેલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. 

ખેરગામ બી.આર.સી. વિજયભાઈ, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત ૬૮ જ્ઞાનકુંજ તાલીમાર્થીઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કર...