Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ  ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને વઘઇમાં 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાનનુ આહવાન કર્યું છે. 

ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે, તારીખ ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમા ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. 

ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વઘઇ ગોળ સર્કલ પાસે સ્વચ્છતા કાર્યક્રમમા શ્રમદાન બાદ, કૃષિ પોલિટેકનીક કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમમા, રાષ્ટ્રપિતા પૂ.બાપુની ૧૫૫મી જન્મ જયંતિના ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણી સાથે ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણી કરવામા આવી હતી. 

આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ, ભારત દેશને અહિંસાના જોરે આઝાદી અપાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા હતા. સત્યને હંમેશા વળગી રહ્યા. તેઓ દેશવિદેશમા ચાલતા જાતિગત ભેદભાવ સામે લડ્યા, અને ભારતને આઝાદી અપાવી હતી.  

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણાદાયક બાબત છે. પૂ. બાપુ સ્વછતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વછતા બાબતે જાગૃત બનીએ, આપણા જીવનમા સ્વછતા અપનાવી અન્ય લોકોમા જાગૃકતા લાવીએ, અને દરેક લોકોને આ અભિયાનમા સહભાગી બને તે માટે પ્રયત્ન કરીએ. તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

દરમિયાન ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ રોજે રોજ સ્વછતા સાથે જોડાયેલા કર્મચારીઓને સન્માનિત કરવા સાથે, દરેક લોકોને પોતાનુ ઘર, મહોલ્લા, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સંકલ્પબદ્ધ બનવા માટે પણ શ્રી વિજયભાઈ પટેલે અનુરોધ કર્યા હતો.  

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ વેળા જણાવ્યુ હતુ કે, પૂ.બાપુ હંમેશા સ્વછતાના આગ્રહી હતા. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અંતર્ગત તા.૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર-૨૦૨૪ સુધી યોજાયેલ પખવાડીક અભિયાનમા, જિલ્લાના તમામ લોકો જોડાયા હતા. જે બદલ જિલ્લા પ્રમુખશ્રીએ વહિવટી તંત્ર અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ અભિયાન તા.૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિ/રાષ્ટ્રીય એકતા દિવસ સુધી હાથ ધરવાનુ નક્કી થયુ છે, ત્યારે સૌને પોતાના સ્વભાવ અને સંસ્કારને સ્વચ્છતા સાથે જોડવાની પણ તેમણે હાંકલ કરી હતી.

આ પ્રંસગે કલેક્ટર શ્રી મહેશ પટેલે જણાવ્યું હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીનુ જીવન જ સંદેશ ભર્યું છે. તેઓનુ જીવન જ એક સંદેશ છે. પૂ. બાપુ વિચારોથી પણ સ્વચ્છ હતા. 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી પ્રંસગે ફક્ત સ્વચ્છતાની ચર્ચા નહી, પરંતુ સાચા અર્થમા આપણા જીવનામા સ્વછતા અપનાવી, પર્યાવરણને સ્વચ્છ બનાવવાનુ આહવાન, કલેક્ટરશ્રીએ કર્યું હતુ. 

વધુમા પટેલે બીજી ઓક્ટોબર પૂ.બાપુનાંલ જન્મદિને, બાપુની જીવનગાથા વર્ણવી, આજના જ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસને પણ યાદ કરી, તેમનુ સ્મરણ કર્યુ હતુ. 

કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અને ગ્રામ પંચાયતનુ સન્માન કરતા, આહવા તાલુકાને શ્રેષ્ઠ જનભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષિત એકમો ટ્રાન્સ્ફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામા આવ્યો હતો. 

જ્યારે સફાઈ મિત્ર શિબિરોની શ્રેષ્ઠ કામગીરી કરનાર વઘઈ તાલુકાને પણ એવોર્ડ આપવામા આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતોમા પ્રથમ વઘઈ ગ્રામ પંચાયત, બીજા નંબરે આહવા ગ્રામ પંચાયત, ત્રીજા નંબરે દગડીઆંબા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.

અહીં ઉપસ્થિત સૌ લોકોએ દિલ્હીથી પ્રસારિત વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા ૧૭મી સપ્ટેમ્બર થી ૧લી ઓક્ટોબર દરમિયાન જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામા 'સ્વછતા હી સેવા અભિયાન' મા કુલ ૫૫,૦૫૫ લોકોએ ભાગ લીધો છે. જેમા 'સ્વછતા હી સેવા' અભિયાનમા ૬૭૬ કીલોગ્રામ કચરાનુ એકત્રિકરણ કરાયુ હતુ. તો 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત ૧,૧૫૭ છોડવાઓનુ વાવેતર પણ કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમ વેળાએ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબિયાર, આહવાના તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગવાંદે, વઘઈના તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મીનાબેન પટેલ, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

#MahatmaGandhiji 

#SHSGujarat2024 

#SBD2024 

#SHS2024

#10YearsOfSwachhBharat 

Courtesy : info Dang gog

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કર...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુ...