ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસ...
Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ.
Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ. આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુભારંભ કરવામાંઆવશે. જે અંતર્ગત, નવસારી જિલ્લામાં થીમ આધારિત સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમો અને પ્રવ્રુત્તિઓની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલછે. આ ઉપરાંત, સરકારશ્રી વિવિધ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની રજૂઆતો અને અરજીઓનોસ્થળ પર જનિકાલ માટે ૧૦ મા તબક્કાના સેવા સેતુકાર્યક્રમો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી નવસારીજિલ્લામાં યોજાનાર છે.
આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુભારંભ કરવામાંઆવશે. જે અંતર્ગત, નવસારી જિલ્લામાં થીમ આધારિત સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમો અને પ્રવ્રુત્તિઓની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલછે. આ ઉપરાંત, સરકારશ્રી વિવિધ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની રજૂઆતો અને અરજીઓનોસ્થળ પર જનિકાલ માટે ૧૦ મા તબક્કાના સેવા સેતુકાર્યક્રમો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી નવસારીજિલ્લામાં યોજાનાર છે. #TeamNavsari Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari
Posted by Info Navsari GoG on Friday, September 13, 2024
Comments
Post a Comment