Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

 Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવનિર્મિત અદ્યતન સ્કુલ બિલ્ડીંગથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે

--------

 મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે

 રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજ નિર્માણ પામશે

               :* શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા*

--------

સુરતઃશનિવાર: સુરત જિલ્લાના કામરેજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૩.૭૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ૧૬ વર્ગખંડયુક્ત કામરેજ પ્રા.શાળાના નવા ભવનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે.

                  આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર સહિતની પહેલ આજે દેશભરમાં પ્રેરક-અનુકરણીય બની છે. 

                   રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ મિશન અંતર્ગત કામરેજમાં દર મહિને એક નવી શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે એમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતમાં બે લાખથી વધુ બાળકોએ પ્રાઈવેટ શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બેસ્ટ શિક્ષણ મળશે. વેલંજા અને ખોલવડ ગામે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળાને મંજૂરી મળી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજનું ભૂમિપૂજન થશે એમ તેમણે કહ્યું હતું.

                   વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવા વર્ગખંડો, નવી શાળાઓ સહિતના અનેકવિધ પગલાંઓ લઈ રહી છે, ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો પણ સરકારના આ શિક્ષા અભિયાનમાં સહભાગી થઈ બાળકોને શિક્ષિત અને દીક્ષિત બનાવે તે જરૂરી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

                   આ વેળાએ શાળા પરિસરમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. 

              આ પ્રસંગે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી અને ડે.કલેકટર વી.કે.પીપળીયા, અગ્રણી ભારતીબેન રાઠોડ, ડીવાયએસપી આર આર સરવૈયા, પ્રાંત અધિકારી, મામલતદાર, કામરેજ ગામ સરપંચ કિંજલબેન શાહ, જિ. આચાર્ય સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

#smartschool #education #school #elearning #gujarat #surat


રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Posted by Information Surat GoG on Saturday, August 10, 2024

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024