Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

 Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે

આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S)

નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે

(સંકલન: ભાવિન પાટીલ)

(નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ. 

           

નવસારીમાં જીલ્લાના ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી ધો. ૯ થી ૧૨નું શિક્ષણ અને આનુષંગિક તમામ સુવિધાનો લાભ લઇ રહી છે. અહીં અભ્યાસ કરી રહેલ આદિજાતી વિદ્યાર્થિનીઓ શિક્ષકોના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનથી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થીની ભાવિની પટેલ જે ડોક્ટર બનાવનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે અને હાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી તરીકે સેવા આપી રહી છે. 

          આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની વિધાર્થીની ડો.ભાવિની પટેલે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ આપવામાં આવતું હતું. મારા તથા માત પિતાનું ડોક્ટર બનવાના સપનાનું બીજ અહી રોપાયા હતા. પ્રિન્સીપાલ અને અધ્યાપકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી જ ધો. ૧૨ બાદ મેડીકલ ક્ષેત્ર માટેની NEET ની પરીક્ષા માટે ગાઇડન્સ તથા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવતી હતી. અહીં શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા-જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી પૌષ્ટિક ભોજન સાથે અમે વધુમાં વધુ સમય અમારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા હતા . છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે માતાપિતા પર વધારાનો બોજ પડતો નહતો અને અમે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમે પરીક્ષા પાસ કરી શક્યા. 

વધુમાં ડો. ભાવિનીએ જણાવ્યું કે , NEET ની પરિક્ષામાં ઉતીર્ણ થયા બાદ વડોદરા સ્થિત મેડીકલ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટા હેઠળ મારો MBBSની નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી છે, અને મને ખુબ જ ખુશી થાય છે કે આજે હું નવસારી જિલ્લાના અંતરિયાળ ગામડા એવા મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે, જેના મૂળમાં આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીમાંથી મળેલ ભણતર અને સંસ્કાર છે જે મારી કારર્કિદીના ઘડતરમાં ખુબ જ મદદરૂપ થયા છે.

          આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, ગણવેશ, ટ્રેક સુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની ચીજવસ્તુઓની કાળજી લેવામાં આવે છે.        

છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિદ્યાર્થીનીઓએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે. નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની ચીખલી આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ થી ૧૨ની કન્યાઓનું વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહી છે.       

આદિજાતી યુવાનોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી રાજય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને પરિણામલક્ષી બનાવવા આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. જેમાંની એક આદર્શ નિવાસી કન્યા/ કુમાર શાળા છે, જે આ પ્રકારના પ્રકલ્પો સમગ્ર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેનો આધાર બની સર્વાંગી ઉચ્ચત્તમ શિક્ષણ થકી આદિવાસી બંધુઓ માટે નવા આયામો રચી રહ્યા છે.

#TeamNavsari #gujarat #navsari #prideofgujarat #prideofnavsari

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024