Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો

Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો

*કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે-કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે


 નવસારી,તા.૧૨: નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે દિશા તરફ એક અનોખી પહેલ કરી જિલ્લા પંચાયત નવસારી દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટ ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેકટ થકી જિલ્લાની કિશોરીઓ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત, નીડર, આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર બનવાની સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહી છે.

 નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષે મળેલ સારા પરિણામોને ઘ્યાને લઈ ચાલુ વર્ષે પણ આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ભણતી ધોરણ-૭ અને ૮ની કિશોરીઓ માટે આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી અન્ય વિષયો આનુસંગીક માર્ગદર્શનની સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી તેમજ કિશોરીઓના શારીરીક વિકાસ અર્થે જરુરી પૌષ્ટીક આહાર પુરો પાડવો વગેરેના આયોજન સાથેના “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ “ નો શુભારંભ આજરોજ કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રેના વરદ હસ્તે પ્રાથમિક શાળા એંધલ તા.ગણદેવી જી.નવસારી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, આઇસીડીએસ ચેરમેનશ્રી નિકિતાબેન પટેલ, શિક્ષણ ચેરમેનશ્રી શીલાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી, તેમજ એંધલ ગામના સરપંચશ્રી, એંધલ ગામના આગેવાનો,  પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. અતુલ ગજેરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, સીડીપીઓશ્રી, આંગણવાડી વર્કર બહેનો, બી.આર.સી. કોડિનેટર, સી.આર.સી. કોડિનેટર, એંધલ શાળાના શિક્ષકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.


કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સક્ષમ યુવિકા યોજના વિશે સંબોધન કરવામાં આવ્યુ હતું અને જણાવ્યું હતું કે, સક્ષમ યુવિકા યોજના અંતર્ગત ચલાવવામાં આવતા સેશન થકી કિશોરીઓ સક્ષમ બની પોતાની રીતે પગભર થશે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તેમજ જણાવ્યુ કે વર્તમાન સમયના કિશોરીઓના વિકાસમાં હાલ માતાઓ વધુ ફાળો આપે છે તેમા પિતાઓએ પણ સક્રીય રીતે જોડાવુ જોઇએ. કિશોરીઓના સર્વાંગી વિકાસ થકી સામાજીક વિકાસ થશે.  એમ ઉમેર્યું હતું. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા દ્વારા કિશોરીઓને સક્ષમ યુવિકા યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહક સંબોધન આપવામાં આવ્યું અને જણાવ્યુ કે જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૭૩૮૧ કિશોરીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના થકી  નવસારી જિલ્લાની કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થશે. તેમજ તમામ પ્રવૃતિઓ દ્વારા કિશોરી સક્ષમ બનશે તેવા ઉદેશ્યો સાથે “સક્ષમ યુવિકા” યોજના હાથ ધરવામાં આવેલ છે. કિશોરીઓ આવતી કાલના સમાજ નિર્માણનું ભવિષ્ય હોય તેઓનો યોગ્ય વિકાસ થવો જ જોઇએ એમ ઉમેર્યું હતું. 

સક્ષમ યુવિકા યોજનાના કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.અતુલ ગજેરા દ્વારા સક્ષમ યુવીકા પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શિક્ષણ ચેરમેન શ્રીમતી શીલાબેન પટેલ દ્વારા વર્તમાન સરકાર કિશોરીઓના વિકાસ માટે સતત ચિંતીત છે અને કિશોરીઓ ઉજ્જ્વળ ભવિષ્ય સાથે આગળ વધે અને સફળતા મેળવે તેવા ધ્યેયથી કામગીરી કરી રહી છે એમ જણાવ્યુ હતુ. 

          આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, લાભાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓનો વિદ્યાર્થીઓ, વાલીઓ,શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024