Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari latest news: નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સાઇબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

 Navsari latest news: નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સાઇબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

વર્ષ-૨૦૨૪ દરમ્યાન સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારા ફ્રીઝ નાણામાંથી કુલ રૂપિયા ૧,૮૮,૫૦,૫૫૬/- જેટલી રકમ અરજદારોને પરત અપાવતી નવસારી જિલ્લા પોલીસ

ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કરતા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ

નવસારી,તા.૦૨: તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમ અંગે નાગરિકોને જાગૃત કરવા અને નવસારી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા થયેલ કામગીરી અંગે સૌને અવગત કરવા આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

પ્રેસ કોન્ફરન્સમાં સૌને માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ અને નાણા ગુમાવનાર લોકો દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ પર ફોન કરતા ગાંધીનગર CID ક્રાઈમનાં સાયબર સેલની ટીમ દ્વારા અરજદાર/ભોગબનારના નાણા આરોપીઓના બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલ છે. 


નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ ઓનલાઇન નાણાકીય ફોર્ડ થવાના બનાવો બાબતે જાહેર જનતામાં જાગૃત્તા લાવવા વિવિધ કાર્યક્રમો કરી વર્ષ-૨૦૨૪ દરમ્યાન નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારાફ્રીઝ કરેલ આરોપીઓના બેંક એકાઉન્ટોમાંથી અરજદારોના નાણા પરત અપાવવાની કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧,૮૮,૫૦,૫૫૬/- જેટલી રકમ અરજદારોને પરત અપાવવાની કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. 

અંતે પોલીસ અધિક્ષકશ્રીએ " સાથે મળીને લડીએ, સાયબર ખતરોને હરાવીએ" એમ જણાવી કોઇ પણ ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાના પ્રત્રકારમિત્રો સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024