Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:-

કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી

ગાંધીનગર,શનિવાર

‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની. 


આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની દીકરીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન વગેરે જેવા ૨૮ સભ્યોની ભૂમિકા અદા કરી એક દિવસનું નેતૃત્વ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય ગત વિધાનસભા સત્રમાં પણ બાલિકાઓ દ્વારા વિધાનસભા સત્રની એક દિવસની કામગીરી સંભાળી ગર્વભેર  નેતૃત્વના ગુણ થકી ઉપસ્થિત સૌને દિકરીઓએ પ્રભાવિત કર્યા હતા.આ સઘળા કાર્યક્રમોનો હેતુ બાલિકાઓમાં બાળપણથીજ નીડરતા અને હિમ્મત ભર્યો નેતૃત્વનો ગુણ વિકસાવવાનો છે.  

આ બંને કાર્યક્રમ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું કડજોદરા ગામ પ્રથમ એવું ગામ બન્યું છે જ્યાં ડિસેમ્બર, ૨૦૨૩માં સૌપ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. 



કડજોદરા ગામના સરપંચશ્રી ઝાલા અર્જુનસિંહ આ અંગે જણાવે છે કે, ગામની ૧૧ થી ૧૬ વર્ષ સુધીની ૧૩ દીકરીઓને એકત્રિત કરી ગામમાં બાલીકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં ૧૫ વર્ષની દીકરી દિયા ત્રિવેદી બાલિકા સરપંચ છે. અરવિંદ સિંહ આ કામગીરી અંગે જણાવતા કહે છે કે, "દીકરીઓ બાલિકા પંચાયત અંતર્ગત ખરેખર સુંદર કામગીરી કરી રહી છે. દર મહિને બે વખત આ બાલિકા પંચાયતની સભા મળે છે, અને ગામમાં અયોગ્ય લાગતી બાબતો અથવા સુધારા કરવા લાયક યોગ્ય નિર્ણયો લેવા તરફ પણ તેઓ અમારું ધ્યાન દોરે છે. બાલિકા પંચાયતમાં દીકરીઓનું નેતૃત્વ જોતાં ચોક્કસ હું એવું કહી શકું કે આગળ જતાં આ દીકરીઓ ગામ, જિલ્લા અને દેશનું નામ અવશ્ય રોશન કરશે."

કડજોદરા બાલિકા પંચાયતના બાલિકા સરપંચ દિયા ત્રિવેદી જણાવે છે કે, ગામમાં જ્યારે બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી એ પછી ગામની ઘણી બધી બહેનોના પ્રશ્નોને બાલિકા પંચાયત દ્વારા સમાધાન મળ્યું છે. દર અઠવાડિયે ગામમાં ઘરે ઘરે જઈ દિયા અને પંચાયતના અન્ય સભ્યો તેમના જેવી બીજી દીકરીઓની તકલીફ અથવા પ્રશ્નો જાણવાની કોશિશ કરે છે. બાલિકા પંચાયત ગામની  દિકરીઓનો અવાજ બની છે અને દીકરીઓને આગળ વધવામાં પણ મદદ કરી છે. મહિનામાં બે વખત બાલિકા સભા યોજી બધી દીકરીઓ ભેગી મળે છે, ખુલ્લા મને તેઓ પોતાની દુવિધા બાલિકા પંચાયત સામે રજૂ કરે છે.  બાલિકા સરપંચ તેમનો અવાજ બની સમસ્યાને સમાધાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરે છે. ક્યારેક શિબીરો યોજી આ વિષયો અંતર્ગત અન્ય તજજ્ઞો દ્વારા સમજ અને આત્મ રક્ષણની તાલીમ પણ યોજે છે. ઉપરાંત સેનેટરી પેડ નું વિતરણ, રસોઈ સ્પર્ધા, કેશગુફન સ્પર્ધા,  ચિત્ર સ્પર્ધા વગેરે

જેવી એક્ટિવિટી દ્વારા ગામની દીકરીઓની આવડત બહાર લાવવાની દિશામાં પણ કાર્ય કરે છે. 

કડજોદરા ગામની આ બાલિકા સરપંચ દિયા ત્રિવેદી હાલ ધોરણ-૧૧ માં અભ્યાસ કરે છે. અને આગળ જતાં કિરણ બેદીની જેમ આઇ.પી.એસ અધિકારી બનવા ઈચ્છે છે. દિયાનાં નેતૃત્વ ગુણ જોતા તેના આદર્શ મહિલા અંગે પૂછવામાં આવતા તે જણાવે છે કે, દેશના પહેલા આઇ.પી.એસ મહિલા કિરણ બેદી તેના આદર્શ છે. અને તેમની માફક દિયા પણ નીડર મહિલા બનવા માંગે છે. દિયા જણાવે છે કે 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક કાલ્પનિક વિચારજ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.' સાથેજ દિયા મુખ્યમંત્રીશ્રી અને મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરતા ઉમેરે છે કે,’બાલિકા સરપંચ બનવાની તકે મને સાચા નેતૃત્વના સિધ્ધાંતો શિખવાનો અવસર આપ્યો છે. જેના થકીજ હું   સ્વયંની ઓળખ કરી શકી અને આત્મવિશ્વાસ વધારી શકી છું.’

આમ, દિયા ત્રિવેદી જેવી દીકરીઓ જિલ્લાના દરેક ગામમાં છે જે સફળ નેતૃત્વ કરી રહી છે. આવી દીકરીઓને જરૂર છે માત્ર એક અવસરની.... આ એ દીકરીઓ છે જે મહિલા નેતૃત્વનાં વિચારને નવી દિશા આપે છે....

આલેખન:-

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર

Comments

Popular posts from this blog

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી  જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર:   રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે.   જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય ...

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                                          Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર...