Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી

         ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી 

------- 
 સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી
} દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ } આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે } 

ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થયું છે :- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 
----------- 
૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એમ રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ઇસરોલી ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.દેશમાં થઇ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, વંચિત અને શોષિતોના પડખે ઊભી છે એમ કહી તેમણે આવાસવિહોણા જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકોને પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યસ્થા બની છે જે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એમ કહી તેમણે છેલ્લા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એમ કહ્યું હતું. દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના બળવત્તર બને એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડેલા આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાન થકી દેશના જન જનમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બની છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તમામ સમાજના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જે અંતર્ગત ગરીબ, વંચિત અને શોશિતોની આર્થીક અને સામાજીક સ્થિતિ મજબૂત બને એ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એમ કહી તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડની આદિવાસી કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ ઉમેર્યું હતું. તેમણે યુવા વિકાસ અંગે વાત કરતા યુવા કૌશલ વિકાસ યોજના અને સ્ટાર્ટ અપ યોજના અંગે વાત કરી આજે દેશના યુવાનો રોજગાર આજે નોકરીદાતા બન્યા છે એમ કહી તેમણે મહિલા સશક્તિકરણ માટે સરકાર હરહંમેશ ચિંતા કરી રહી છે એમ કહી મિશન મંગલમ યોજનાથી બહેનો આજે આર્થિક રીતે પગભર બની છે એમ કહ્યું હતું. તેમણે નારી વંદન અધિનિયમ થકી રાજયની વિધાનસભા એન્ડ દેશની સંસદમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એમ કહ્યું હતું. ગુજરાતની ઔધોગિક વિકાસ માટેની ઇકો સિસ્ટમ સુદ્રઢ બનતા રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમ કહી તેમણે ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ સ્થાપિત થયું છે એમ કહી ગુજરાતમાં આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે એમ જણાવ્યું હતું.

૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ------- સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

Posted by Information Surat GoG on Thursday, August 15, 2024

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024