Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી 


મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકયો

----- 

ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વૃક્ષારોપણ અને સોલાર ઊર્જાનો ઉપયોગ અત્યંત જરૂરીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

---- 

હરિયાળીથી લહેરાતો વલસાડ જિલ્લો ૩૩ ટકા વન વિસ્તાર ધરાવે છેઃ મુખ્ય વન સંરક્ષકશ્રી મનીશ્વર રાજા

---- 

કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા ઉમરગામના ધારાસભ્યશ્રી પાટકરે અપીલ કરી 

---- 

મંત્રીશ્રીના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું 

---- 

માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ

     વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે  આજરોજ કરવામાં આવી હતી. 

     આ ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવામાં મળેલી વૈશ્વિક કોન્ફરન્સમાં કાર્બન ઉત્સર્જન ઝીરો થાય તે માટે આહવાન કર્યુ હતું. કાર્બન ડાયોક્સાઈડ ગેસ હાનિકારક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને તેની સામે આપણને ઓક્સિજન આપે છે. જેથી વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય સોલાર ઊર્જા અને પવન ઊર્જા પણ કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે અસરકારક છે. સોલારના ઉપયોગથી કોલસાનો ઉપયોગ અટકી જશે. વૃક્ષો સંવેદશીલ હોય છે, તેને આપણા મિત્ર તરીકે ગણી ઉછેરવા જોઈએ. વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યુ છે. તેમના સંકલ્પને સાકાર કરવા માટે દરેક લોકો આ અભિયાનમાં જોડાય એવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આપણો વલસાડ જિલ્લો હરિયાળીથી લહેરાતો પ્રદેશ છે. આપણી ભાવિ પેઢી માટે તેને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. વધુમાં તેમણે વન મહોત્સવની શરૂઆતનો ઉલ્લેખ કરી ૧૯૫૦ની સાલમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીશ્રી સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની દીર્ઘદ્રષ્ટીને બિરદાવી તેમના વિઝનને પરિપૂર્ણ કરવા આહવાન કર્યુ હતું.   

           ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવી વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષથી આપણને સારું ઓક્સિજન મળશે તો બીમારીથી દૂર રહીશું. દરેક ગામમાં વન ઉછેર કરવા જણાવી સાથે વૃક્ષ ન કપાય તે માટે એક જાગૃતિ સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. સાથે જ ઉમરગામ તાલુકામાં આવેલી કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. 

          વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી મનિશ્વર રાજાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૩૩ ટકા વન વિસ્તાર છે. એક વ્યક્તિને શ્વાસ લેવા માટે રોજના ૬૦૦ લીટર પ્રાણવાયુની જરૂર હોય છે. એક વૃક્ષ ૧૨૦ લીટર પ્રાણવાયુ આપે છે તે મુજબ એક વ્યક્તિ માટે પાંચ વૃક્ષની જરૂર હોય છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. 

         વન મહોત્સવની ઉજવણી દરમિયાન સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેનાર ૨૧ લાભાર્થીઓને લાભોનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યકિતઓનું પણ સન્માન કરાયું હતું. વન વિભાગ દ્વારા મંત્રીશ્રીને બોનસાઈ છોડ આપી સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

           આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, ઉમરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર, નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારી, ગામના અગ્રણી યતિનભાઈ ભંડારી, ઉમરગામ ઈન્ડ્રસ્ટીયલ એસોસિએશના પ્રમુખ નરેશ બાંથિયા, દક્ષિણા વિદ્યાલયના આચાર્ય વિશાલ સાવંત તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

         નારગોલ ગ્રામ પંચાયત અને દક્ષિણા વિદ્યાલય દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કે.ડી.બી. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડો. રામ રતન નાલાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. જ્યારે આભારવિધિ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીનલ ભટ્ટે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોની અને વર્ષાબેન સી.પટેલે કરી હતી. 

બોક્સ મેટર 

દક્ષિણા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવાઇ 

૧૭ એકર જમીન પર પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત દક્ષિણા વિદ્યાલય, ઓરોમીરા સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, સુથારીકામ અને કુંભારી કામ અંગે જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિકલ સ્કીટ, ઓરોમીરા ફ્યુઝન ડાન્સ, વૃક્ષ લગાયેંગે હમ સંગીત, વક્તવ્ય અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સંજાણની એસ.જી.ડાકલે હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ તાળીના ગડગડાટ સાથે તમામ કૃતિને વધાવી લીધી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અગસ્ત્ય હજેવા અને નિત્યા પરીખે કર્યું હતું.


વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી...

Posted by INFO Valsad GOV on Sunday, August 11, 2024

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કર...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુ...