Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ :

  Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ  :

વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાશે

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે કરાશે ‘ધ્વજવંદન'

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૪: ડાંગ જિલ્લામાં આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જેમાં મુખ્ય મહેમાન કરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહી ‘ધ્વજવંદન' કરશે. 


જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાનાર છે. 

આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. 

જેમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ આહવા, વઘઇ અને સુબિર તાલુકાના ત્રણેય મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને, કાર્યક્રમની કામગીરી ના આદેશ કર્યા હતા. કાર્યક્રમ સંદર્ભે તેમજ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. 

આ બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ, સંબંધિત અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત કરી હતી. 

સ્વાતંત્ર્ય પર્વ અગાઉ તારીખ ૧૦ ઓગસ્ટ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમ સંબંધિત ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી. 

બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી  યશપાલ જગાણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાર, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા સહિતના જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024