Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                            

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.

‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.  એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહેવાયું છે કે, ‘ઉદ્યમથી જ કાર્યસિદ્ધિ મળે છે ; મનોરથ સેવવાથી નહિ.’

ઉપરોક્ત ઉકિતને ચરિતાર્થ કરનાર ખેરગામ તાલુકાનાં પી.એસ.આઈ મિલન પટેલની કહાની

ખેરગામ તાલુકાના ખેરગામના સરસિયા ફળિયાના મિલન પટલ ની કહાની પણ એવી જ છે ગરીબ વર્ગના અને અભ્યાસ દરમિયાન માતાપિતાની છત્ર છાયા ગુમાવી રહેલ મિલાન પટેલ ગુજરાત પોલીસ માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નિયુક્ત થતા આખા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મિલન પટેલે પીએસઆઈ સુધીની સફર ખેડવા ભલભલાં કપરાં ચઢાણ પાર કર્યા છે. તેવોએ ગુજરાત પોલીસ એકેડમી-કરાઈ ખાતે એક વર્ષની પીએસઆઈ તરીકેની તાલીમ પૂરી કરી એ પહેલાં અનેક મુસીબતોનો સામનો કરવો પડયો હતો. 

માત્ર ૯ વર્ષની ઉંમરે પિતા રાકેશભાઈનું અવસાન થયું. એ વેળા આખો પરિવાર ભાંગી પડ્યો.ઘરમાં આવકનું કોઈ સાધન નહીં. માતા સરસ્વતીબેન ઉપર ત્રણ સંતાન મિલન, નયન અને રેશ્માનું ભરણપોષણ કરવાની જવાબદારી આવી પડી. એટલે માતાએ કાળી મજૂરી કરી સંતાનોનો ઉછેર કર્યો. ભણવું તો હતું, પણ સંજોગ સામે પણ લડવાનું. બાળપણથી ઇચ્છા તો ઘણી બધી. કલાસમાં ટીચર પૂછે કે શું બનવું છે મોટા થઈને. તો મિલન કહેતો ‘હું પોલીસ બનીશ'એવી ગાંઠ વાળી લીધી હતી, પરંતુ એ મોહ યુવા વય સુધી તો ઓસરવા લાગ્યો. આર્થિક તંગી પીછો છોડતી ન હતી. 

ધો. ૧ થી ૫નો અભ્યાસ ભસ્તા ફળિયા પ્રાઈમરી શાળા, ધો.૯થી ૮ ખેરગામની કુમાર શાળા તો મહેસાણાના એસઆરઆઈ કેમ્પસમાં બી.ઈ.મિકેનિકલનો અભ્યાસ કર્યો. આર્થિક સ્થિતિ સારી ન હોવાની જાણ થતાં મિશનરી હોસ્ટેલમાં કેટલાક આગેવાનોએ ભલામણ કરતાં ભણતર, ટ્યુશન સહિતનો ખર્ચ રાહતરૂપ રહ્યો હતો. જેમતેમ અભ્યાસ તો પૂર્ણ કર્યો અને સારા દિવસ આવશે એ સપનાં જોતાં મિલનના માથેથી વર્ષ-૨૦૨૦માં માતાનો છાંયો પણ ઊઠી ગયો.


આર્થિક તંગીને કારણે માતાની સારવાર ન થઈ શકી અને અંતે અવસાન થયું. જેનો વસવસો આજે પણ મિલનને છે.માતાના અવસાનથી કુદરતે જાણે સર્વસ્વ છીનવી | લીધું એવું ત્રણેય ભાઈ-બહેનને લાગતું. અંતે ૨૦૨૧માં કોલેજ પાસ કરીને ઘરનું ગુજરાન ચલાવવા નોકરીની શોધ કરી. એ વેળા મિલનને વાપીની મેરિલ કંપનીમાં રૂ.૧૨૦૦૦ની સેલેરીવાળી નોકરી મળી. ત્યાં ૧ વર્ષ સુધી ૩ પાળીમાં નોકરી કરી. ૨૦૨૧ના એ કપરા કાળ વિશે મિલન કહે છે કે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજ પાસ કર્યું. ૧૨ પાસ કર્યા પછી કોઈ ગાઇડલાઇન કરવાવાળું ન હતું. પ્રાઈવેટ કોલેજમાં એડમિશન લીધું હતું. મારી ગણતરીઓ ખોટી પડી. એડમિશન તો લઈ લીધું પણ ધાર્યુ એવું શિક્ષણ મળતું ન હતું. આથી કોલેજમાંથી ટ્રાન્સફર મેળવવા પ્રયાસ કર્યો તો સફળતા ન મળી. જેના પરિણામે એન્જિનિયરિંગના વ્યવહારુ જ્ઞાનની ચિંતા થઈ. અંતે કોલેજ દરમિયાન જ સરકારી જોબ માટે એપ્લાય કર્યો . કોલેજ દરમિયાન ઓએનજીસી તરફથી એસટી કેટેગરીના સ્ટુડન્ટ તરીકે તેમને ૯૫૦૦ની સ્કોલરશિપ મળતી હતી. અને ઓનલાઈન કલાસ જોઈન્ટ કર્યા હતા નિષ્ફળતા મળે તો કંઈ નહીં પણ સેવા બજાવી રહયા છે.

પ્રયત્ન તો ચાલુ રાખવો જ છે.એવો નિર્ણય કરીને એક બાદ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ગયા હતા. બિન સચિવાલય, કારકૂન, બેંક અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની જાણ થાય એટલે ફોર્મ ભરી દેતા હતા. તેમણે પ્રથમ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી એમાં પાસ થયા, પણ શારીરિક કસોટીમાં નાપાસ થયા, છતાં હિંમત રાખી આગળ વધતા ગયા પછી કોન્સ્ટેબલની પરીક્ષા આપતાં આત્મવિશ્વાસ વધ્યો. બાદ વર્ષ- ૨૦૨૧માં પીએસઆઈની ભરતીની પરીક્ષા આવી. એ વેળા તેમની ઉંમર ૨૧ વર્ષ પણ ન હતી. કોરોનાકાળને કારણે ભરતી ફરી નીકળતા ત્યાં સુધી ૨૧ વર્ષ પાર કરી ગયા હતા. આ પરીક્ષા માટે ફિઝિકલ પરીક્ષા માટે રનિંગની આકરી પ્રેક્ટિસ કરી. એ વેળા મેરિલ કંપનીમાં ત્રણ પાળી નોકરી કરવાની સાથે બધુ જ એડ્જસ્ટ કર્યું હતું. જેમાં તેવો સિલેક્ટ થઈ ગયા હતા આજે ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે એક વર્ષની તાલીમ પૂરી કરી હાલ અમદાવાદ સીટીમાં પોસ્ટિંગ મળતા પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.  

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024