Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

  નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

ધોરણ-૩ થી ૫માં ૪૦ ગુણ અને ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા: ૨૩મીએ પૂરી થશે.

ચીખલી તાલુકાની ૧૭૭ શાળાના ૧૪૧૮૫ અને ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળાના ૪૩૩૧ સહિત નવસારી જિલ્લાની ૬૫૫ પ્રાથમિક શાળામાં ધોરણ-૩ થી ધોરણ-૮માં અભ્યાસ કરતા ૫૮૯૯૮ બાળકોની દ્વિતીય સંત્રાત પરીક્ષાનો ૪ એપ્રિલના રોજથી પ્રારંભ થશે જે ૨૩ એપ્રિલના રોજ પૂર્ણ થશે. અને તારીખ ૬ મે થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જૂન માસથી ૨૦૨૪-૨૦૨૫ના નવા શૈક્ષણિક સત્ર પ્રારંભ થશે.

ધોરણ-૩થી પમાં ૪૦ ગુણની પરીક્ષા યોજાશે, જ્યારે ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩થી ૮ ધોરણનાં બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સંત્રનો ડિસેમ્બર ૨૦૨૩થી લઈને માર્ચ ૨૦૨૩ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

જીસીઈઆરટીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ-૩ થી ૫ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૦:૦૦નો રહેશે. અને ૧૨ એપ્રિલને શુક્રવારના રોજ પૂર્ણ થશે. ધોરણ-૬ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૧:૦૦નો રહેશે. અને ૨૩ એપ્રિલને મંગળવારના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૪-૪-૨૦૨૪થી તા. ૨૩-૪-૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ : ૩થી ૫

તા. ૪-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ ગુજરાતી, તા. ૫-૪- ર૦ર૪ ને શુક્રવારના રોજ ગણિત, તા. ૬-૪-૨૦૨૪ ને શનિવારના રોજ પર્યાવરણ, તા. ૮-૪-૨૦૨૪ને સોમવારના રોજ હિન્દી, તા. ૯-૪-૨૦૨૪ને મંગળવારના રોજ અંગ્રેજી, તા. ૧૨-૪- ર૦ર૪ને શુક્રવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ ૬થી ૮

તા. ૧૩-૪-૨૦૨૪ ને શનિવારના રોજ ગુજરાતી, તા. ૧૫-૪-૨૦૨૪ને સોમવારના રોજ ગણિત, તા. ૧૬-૪- ર૦૨૪ ને મંગળવારના રોજ હિન્દી, તા. ૧૮-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ વિજ્ઞાન, તા. ૧૯-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ અંગ્રેજી, તા. ર૦.૪- ૨૦૨૪ ને શનિવારના રોજ સામાજિક વિજ્ઞાન, તા. ૨૨-૪-૨૦૨૪ ને સોમવારના રોજ સંસ્કૃત, તા. ૨૩-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

Credit: sandesh news 

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કર...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુ...